આનંદો! આખરે ગુજરાતમાં શિક્ષકોની ભરતીના દ્વાર ખૂલ્યા, રાજ્ય સરકારે મોટી જાહેરાત કરતાં જ.
ગુજરાતના શિક્ષણમંત્રીએ આજે શિક્ષકની ભરતી માટે મોટી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાંક સમયથી શિક્ષકો રાજ્ય સરકાર ભરતી કરશે તેવી આશાએ બેઠેલા હતા. ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્યની તમામ શાળાઓ અને તેની પોલિસી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ત્યારબાદ શિક્ષકોની ભરતી વિશે માહિતી આપી હતી.
ગુજરાતના શિક્ષણમંત્રીએ આજે શિક્ષકોની ભરતી અંગે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કુલ 3900 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 શિક્ષકોની ભરતી કરાશે. તેવી રીતે ધોરણ 6થી 8માં 2000 શિક્ષકોની ભરતી કરશા. ગ્રાન્ટેડ સ્કૂલમાં આચાર્યની પણ ભરતી કરવાની જાહેરાત કરાઈ હતી. કોલેજમાં સહાયક પ્રાધ્યાપકની 970 ભરતી અને 124 જુનિયર ક્લાર્ક અને 19 લેખક આસિસ્ટન્ટની ભરતી કરવાની જાહેરાત કરી છે.
Loading...